અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મિટિંગ યોજાઈ, પરિષદનાં કાર્યને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ

અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • ભારત વિકાસ પરિષદની કાઉન્સિલ મિટિંગ યોજાઈ

  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું મીટીંગનું આયોજન

  • BVPના દક્ષિણ પ્રાંતના પદાધિકારીઓ,હોદ્દેદારો સભ્યો રહ્યા ઉપસ્થિત 

  • પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરાઈ

  • શાખા દ્રઢીકરણ પર મીટીંગમાં ભાર મુકાયો 

અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગ ભૃગુભૂમિ શાખાનાં યજમાન પદે અંકલેશ્વર ખાતે યોજાઈ હતી. મીટીંગમાં પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી પ્રફુલ્લગીરી ગોસ્વામીએ ઉપસ્થિત રહી પ્રાંત અને શાખાનાં પદાધિકારીઓને માર્ગદર્શન આપતા શાખા દ્રઢીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. જ્યારે પ્રાંત અધ્યક્ષગુજરાત દક્ષિણનાCA  હિતેશ અગ્રવાલે સમીક્ષાનાં મુદ્દાઓ ઉપર ધ્યાન દોરતા શાખાઓને કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત મહામંત્રી ધર્મેશ શાહએ આગામી વર્ષમાં ભારત વિકાસ પરિષદનાં કાર્યને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી.પ્રાંત કોષાધ્યક્ષ પ્રધુમ્ન જરીવાળાએ નાણાકીય વ્યવસ્થા અંગે માહિતીઓ આપી હતી. પ્રાંતના મહિલા સંયોજિકા આયુષી સભરવાલે મહિલા કાર્ય વિકાસ અંગે માહિતીઓ પ્રદાન કરી હતી.

આ મિટીંગમાં શાખા અને પ્રાંતના કાર્ય વિસ્તાર અને વિકાસની ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં ક્ષેત્રીય અધિકારીઓપ્રાંતીય પદાધિકારીગણ તેમજ પ્રાંતની 11 શાખાઓનાં અધ્યક્ષમંત્રીકોષાધ્યક્ષમહિલા સંયોજિકાઓએ ઉપસ્થિત રહી મીટીંગને સફળ બનાવી હતી.કાર્યક્રમને સફળ વ્યવસ્થા માટે ભરૂચ શાખામાંના જિલ્લા સંયોજક નરેશ ઠક્કરપ્રાંત મિડીયા સંયોજક યોગેશ પારીકઅધ્યક્ષ કનુ પરમાર,મંત્રી પરેશ લાડરૂપલબેન જોષી,ભાસ્કર આચાર્યખીવારામ જોષીકેતન ભાલોદાવાલા,અનંતાબેને જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, સિદ્દી સમાજના ધમાલ નૃત્યએ જમાવ્યું આકર્ષણ

સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ  ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણી

  • વહીવટી તંત્ર દ્વારા યોજાય તિરંગા યાત્રા 

  • હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સર્કલ સુધી યાત્રા યોજાય

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

  • સિદ્દી સમાજમાં ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યું

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ  ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તથા બાવાગોરના સિદ્દી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો.શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યોજાયેલ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.સિદ્દી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું.
આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ જોડાયા હતા