અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મિટિંગ યોજાઈ, પરિષદનાં કાર્યને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ

અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • ભારત વિકાસ પરિષદની કાઉન્સિલ મિટિંગ યોજાઈ

  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું મીટીંગનું આયોજન

  • BVPના દક્ષિણ પ્રાંતના પદાધિકારીઓ,હોદ્દેદારો સભ્યો રહ્યા ઉપસ્થિત 

  • પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરાઈ

  • શાખા દ્રઢીકરણ પર મીટીંગમાં ભાર મુકાયો 

અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગ ભૃગુભૂમિ શાખાનાં યજમાન પદે અંકલેશ્વર ખાતે યોજાઈ હતી. મીટીંગમાં પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી પ્રફુલ્લગીરી ગોસ્વામીએ ઉપસ્થિત રહી પ્રાંત અને શાખાનાં પદાધિકારીઓને માર્ગદર્શન આપતા શાખા દ્રઢીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. જ્યારે પ્રાંત અધ્યક્ષગુજરાત દક્ષિણનાCA  હિતેશ અગ્રવાલે સમીક્ષાનાં મુદ્દાઓ ઉપર ધ્યાન દોરતા શાખાઓને કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત મહામંત્રી ધર્મેશ શાહએ આગામી વર્ષમાં ભારત વિકાસ પરિષદનાં કાર્યને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી.પ્રાંત કોષાધ્યક્ષ પ્રધુમ્ન જરીવાળાએ નાણાકીય વ્યવસ્થા અંગે માહિતીઓ આપી હતી. પ્રાંતના મહિલા સંયોજિકા આયુષી સભરવાલે મહિલા કાર્ય વિકાસ અંગે માહિતીઓ પ્રદાન કરી હતી.

આ મિટીંગમાં શાખા અને પ્રાંતના કાર્ય વિસ્તાર અને વિકાસની ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં ક્ષેત્રીય અધિકારીઓપ્રાંતીય પદાધિકારીગણ તેમજ પ્રાંતની 11 શાખાઓનાં અધ્યક્ષમંત્રીકોષાધ્યક્ષમહિલા સંયોજિકાઓએ ઉપસ્થિત રહી મીટીંગને સફળ બનાવી હતી.કાર્યક્રમને સફળ વ્યવસ્થા માટે ભરૂચ શાખામાંના જિલ્લા સંયોજક નરેશ ઠક્કરપ્રાંત મિડીયા સંયોજક યોગેશ પારીકઅધ્યક્ષ કનુ પરમાર,મંત્રી પરેશ લાડરૂપલબેન જોષી,ભાસ્કર આચાર્યખીવારામ જોષીકેતન ભાલોદાવાલા,અનંતાબેને જહેમત ઉઠાવી હતી.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.