/connect-gujarat/media/media_files/2025/06/03/uVgFu762GyMB0KqUGNnn.jpg)
અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે ઝીલ નૃત્ય નિકેતન દ્વારા ત્રણ દીકરીઓ ધાર્મી,પરિધિ અને સ્વરાનું ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો હતો.ઝીલ નૃત્યનિકેતન દ્વારા આયોજીત ભરતનાટ્યમ આરંગેત્રમ દિક્ષાંત સમારોહમાં ગુરુ કલ્પના જૈનનાં કુશળ માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમની તાલીમ મેળવનાર ધાર્મી,પરિધિ અને સ્વરા દ્વારા નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.આ દીકરીઓએ સાત વર્ષની તપસ્યા બાદ ભરતનાટ્યમમાં નિપુર્ણતા હાંસલ કરી હતી.
આરંગેત્રમનાં દિક્ષાંત સમારોહમાં આ દીકરીઓએ ભરતનાટ્યમની વિવિધ નૃત્યકલા પુષ્પાંજલિ, અલરિપ્પુ,જતિશ્વરમ,વરનમ,પદ્દમ,કિનમ,શ્લોકમ,તિલ્લાના,મંગલમ પર કૃતિઓ રજુ કરી હતી અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધાર્મિના પિતા શૈલેષ અમીપરા અને માતા જયશ્રી અમીપરા, પરિધિના પિતા કપિલ લાડ અને માતા પ્રજ્ઞા લાડ, સ્વરાના પિતા હરેશ લીંબચીયા અને માતા પ્રીતિ લીંબચીયાનો તેમને પ્રોત્સાહિત કરવામાં અને સતત ઉત્સાહ બનાવી રાખવામાં અગત્યનો ફાળો છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના એડવોકેટ સૌરભ મહેતા, યુપીએલ યુનિવર્સિટીના વટારિયાના પ્રોમોસ્ટ શ્રીકાંત વાઘ તેમજ શ્રી વાસન વિદ્યામંદિર ગાંધીનગરના કલા પ્રેમી શિક્ષિકા કિન્નરી મહેતા ઉપસ્થિત રહ્યા હતા, ભારતની પૌરાણિક અને આધ્યાત્મિક સંસ્કૃતિના ભરતનાટ્યમ નૃત્ય આજની પેઢી એટલું સરળ રીતે કરી શકે અને તે અમૂલ્ય વારસાને આગળ વધારે તે જોઈ પ્રેક્ષકો ખરેખર ગદગદ થઈ ગયા હતા, આવનાર પેઢી તેને વધારે મજબૂત રીતે લોક ભાગ્ય બનાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.