અંકલેશ્વર: નગર સેવા સદનમાં જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બન્યો, લોકોને અપડેટેડ દાખલા મેળવવા મુશ્કેલી

અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો ૩૦ થી ૩૫ વર્ષનો રેકોર્ડ જે રજીસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઇ ગયો છે એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળોનો ભૂકો થઇ જાય છે

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનનો રેકોર્ડ જર્જરીત

  • જન્મ મરણનો રેકોર્ડ જર્જરીત બન્યો

  • લોકોને અપડેટેડ દાખલા મેળવવા મુશ્કેલી

  • ખર્ચ અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે

  • કોંગ્રેસ દ્વારા કમિશ્નરને પત્ર લખાયો

Advertisment
અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જુના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બની જતા અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.દાખલા મેળવવા અરજદારોએ જટિલ પ્રક્રિયા સાથે હજારો રૂપિયાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા જન્મ કે મરણના દાખલાઓને અપડેટેડ અને ઓનલાઇન બારકોડ વાળા બનાવવાના આદેશો જારી કર્યા હતા પરિણામે અંકલેશ્વર નગર સેવા સદનમાં લોકોનો ધસારો વધ્યો છે પરંતુ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો ૩૦ થી ૩૫ વર્ષનો રેકોર્ડ જે રજીસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઇ ગયો છે એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળોનો ભૂકો થઇ જાય છે.હવે આવા લોકોને અપડેટેડ દાખલો મેળવવા ગાંઠના ગોપી ચંદન કરવાની નોબત સર્જાય છે.
અરજદારોએ જો નવેસરથી દાખલા મેળવવા હોય તો વકીલ પાસે  સોગંદનામુ સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકા સતાધિશો અરજદારને જન્મ કે મરણનો અપડેટેડ દાખલો કાઢી આપવામાં આવે છે.
Advertisment
હવે સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટે ખર્ચ સહીત અંદાજે ચારથી પાંચ હજારનો ખર્ચ કરવો પડે છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસના નેતા જહાંગીર પઠાણે કમિશનરને પત્ર લખી જન્મ મરણના દાખલા નગરપાલિકા પાસે હયાત રેકોર્ડના આધારે આપવામાં આવે જેની સત્તા ચીફ ઓફિસરને અપાય તેવી માંગ કરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment