New Update
આજે તારીખ 23મી માર્ચ
શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા
અંકલેશ્વરમાં પણ કાર્યક્રમનું આયોજન
નોટીફાઇડ એરિયા દ્વારા કાર્યક્રમનું આયોજન
શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
આજ રોજ તારીખ 23 માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપ દ્વારા ચંદ્રબોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજરોજ તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરમાં નોટિફાઇડ એરીયા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો. નોટિફાઇડ એરીયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીઆઇડીસીમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નોટિફાઇડ એરીયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories