New Update
/connect-gujarat/media/media_files/2025/04/29/1Jv377zOyq0nYTfO2O4w.jpg)
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સહિત આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે. પરશુરામજીના કારણે જ વૈશાખ સુદ તૃતીયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશાં જીવિત રહેશે ત્યારે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા જાગેશ પંડ્યાના નિવાસ્થાન ખાતે ભગવાન પરશુરામના પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો.
બ્રહ્મ સમાજના આગેવાન રજનીકાંત રાવલ,શૈલેષ દવે અને યોગેશ દવે સહિત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્તવિધિ અનુસાર ભગવાન પરશુરામનું પૂજન અર્ચન કર્યું હતું.આ સાથે જમ્મુ કશ્મીરના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા હતા.