અંકલેશ્વર: કેન્સર સેન્ટરને JB કેમિકલ્સ દ્વારા રૂ.2.5 કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન

જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને 6D કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું. રૂપિયા અઢી કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં આવેલું છે કેન્સર સેન્ટર

  • કેન્સર સેન્ટરને અપાયું અનુદાન

  • જે.બી.કેમિકલ્સ દ્વારા અનુદાન અપાયું

  • 2.5 કરોડના ખર્ચે મશીન અપાયું

  • કેન્સરના દર્દીઓને મળશે લાભ

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા રૂ.2.5 કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ અનુદાન આપવામાં આવ્યું છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા દાન આપવામાં આવે છે જેના ભાગરૂપે જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને 6D કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું. રૂપિયા અઢી કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જે.બી. મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના સી.ઇ.ઓ. નિખિલ ચોપરા, સાઇટ હેડ ભરત ધાનાણી, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તેમજ આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ અત્યાધુનિક મશીનના કારણે કેન્સરના દર્દીઓને રેડિયેશનની સારવાર ઝડપથી આપી શકાશે તેમજ વધુમાં વધુ દર્દીઓ આ ટેક્નોલોજીનો લાભ લઇ શકે છે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.