અંકલેશ્વર : સજોદ ગામ નજીક CNG સ્ટેશન પર કારમાં આગ, પરિવારનો આબાદ બચાવ

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી

author-image
By Connect Gujarat Desk
New Update
car aag
અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરોએ  ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્નપ્રસંગે ગયો  હતો અને તેઓ સ્ટેશન પર સી.એન.જી. રીફીલ કરાવવા જતા સમયે આગ ફાટી નીકળી હતી. જોકે સી.એનજી. સ્ટેશન પર ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. સમય સુચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો
Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.