અંકલેશ્વર: પોદાર જમ્બો કિડ્સના બાળકોએ એ ડિવિઝન પોલીસ મથકની લીધી મુલાકાત

બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ , શિસ્ત અને ટીમ વર્કમાં અગ્રેસર રહે તે માટે પોદાર જમ્બો કિડ્સના સિનિયર કિન્ડર ગાર્ટનના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું

New Update
Podar Jumbo Kids School
પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર દ્વારા ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ , શિસ્ત અને ટીમ વર્કમાં અગ્રેસર રહે તે માટે પોદાર જમ્બો કિડ્સના સિનિયર કિન્ડર ગાર્ટનના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Ankleshwar Police
જેમાં પોદાર સ્કૂલના ચેરમેન રાઘવ પોદાર માર્ગ દર્શન હેઠળ બાળકોએ સૌપ્રથમ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન પી.આઈ પી.જી.ચાવડા તેમજ સ્ટાફને શિસ્ત, ટીમ વર્ક, પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા અને પર્યાવરણની સલામતીના મહત્વ અને નિર્ધારિત વિસ્તારમાં પ્રદૂષણ વિશે માહિતી આપતો મોડલ બનાવી તેને અભિવ્યક્ત કર્યો હતો.આ ફિલ્ડ ટ્રીપમાં પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વરના હેડ મનીષાબા ગોહિલ,શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.