New Update
-
અંકલેશ્વર નગર સેવા સદનની બોર્ડ મિટિંગ
-
બોર્ડ મિટિંગનો વિવાદ સામે આવ્યો
-
શુક્રવારે જ બોર્ડ મિટિંગ રાખતા વિપક્ષનો વિરોધ
-
સમય અને દિવસ બદલવા કરી માંગ
-
કામો ઓછા હોવાના કારણે શુક્રવારે મિટિંગ રાખી: પ્રમુખ
અંકલેશ્વર પાલિકાની બોર્ડ મિટિંગ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે શાસકોની મનસા પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા હતા કે શુક્રવારે નમાઝનો સમય હોવાથી શાસકો જાણી જોઈને આ જ દિવસે બોર્ડ મિટિંગ રાખે છે
અંકલેશ્વરમાં હવે નગર સેવાસદનની સામાન્ય સભાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે સામાન્ય સભાના દિવસ અને ટાઈમિંગ પર વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.અંકલેશ્વર પાલિકાની બોર્ડ મિટિંગ 25 એપ્રિલ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે.
આ બોર્ડ મિટિંગમાં 19 કામો મુકાયા છે. જેમાં હિસાબી કામો પણ હોય ભાજપ શાસકો ભ્રષ્ટાચાર સંતાડવા આ દિવસ નિયત કર્યો હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે. શુક્રવારે વિપક્ષના સભ્યોએ નમાઝ પઢવા જવાનું હોય એ જ સમયે બોર્ડ મીટીંગ રાખી તેને ઝડપી આટોપી લેવા શાસકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે.શુક્રવારનો બોર્ડ મિટિંગનો સમય બપોરે 2 વાગ્યા પછી કે બીજા કોઈ દિવસે કરવા રજુઆત કરાઈ છે.
આ સમગ્ર વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે પણ પ્રતિક્રિયા આપી હતી. પાલિકા પ્રમુખે બોર્ડ મિટિંગ 11 વાગ્યાની અને ઓછા મુદ્દા હોય ત્યાર પછીની બે દિવસની રજાને ધ્યાને લઇ આયોજિત કરાઈ હોવાનો ખુલાસો કર્યો છે.
Latest Stories