અંકલેશ્વર : છાપરા ગામ ખાતે પુનઃ હાટ બજાર શરૂ કરવાની માંગ,વેપારીઓએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

હાટ બજારમાં ધંધો કરીને પેટીયુ રળતા વેપારીઓએ પુનઃ એકવાર હાટ બજાર શરૂ કરવાની માંગ કરી છે.અને આ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને છાપરા ગામે પુનઃ હાટ બજાર શરૂ કરવા માટેની રજૂઆત કરી

New Update
  • હાટ બજારના વેપારીઓમાં નારાજગી

  • મામલતદારે હાટ બજાર કરાવ્યું હતુ બંધ

  • વેપારીઓએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

  • છાપરા ગામ ખાતે હાટ બજાર પુનઃ શરૂ કરવા કરી માંગ 

  • વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ આપી ચીમકી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ ખાતે બંધ કરાયેલા હાટ બજારને પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે. અને છૂટક ધંધાર્થીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છાપરા ગામની હદમાં હાટ બજાર ભરાતું હતું,પરંતુ મામલતદાર દ્વારા કેટલાક ચોક્કસ કારણોને લઈને આ બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું,પરંતુ હાટ બજારમાં ધંધો કરીને પેટીયુ રળતા વેપારીઓએ પુનઃ એકવાર હાટ બજાર શરૂ કરવાની માંગ કરી છે.અને આ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને છાપરા ગામે પુનઃ હાટ બજાર શરૂ કરવા માટેની રજૂઆત કરી છે.

વધુમાં હાટ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે હાટ બજાર બંધ કરવા અંગેની યોગ્ય તપાસની માંગ પણ કરી છે,અને આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓએ ઉચ્ચારી છે.

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.