અંકલેશ્વર: પીલુદ્રા ગામની સીમમાં ખાનગી કંપનીના હાઈટેન્શન લાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી, વળતરની માંગ

અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાં  પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી

New Update
  • અંકલેશ્વરમાં ખેડૂતોનો વિરોધ

  • પીલુદ્રા ગામે વિરોધ નોંધાવ્યો

  • ખાનગી કંપનીના ટાવરની કામગીરીનો વિરોધ

  • ખેડૂતો દ્વારા વળતરની કરવામાં આવી માંગ

  • પ્રાંત અધિકારીને પણ કરાય રજુઆત

અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાં  પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી
અંકલેશ્વરના પિલુદ્રા ,રવિદ્ર અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ વળતરની માંગણી સાથે એસ્સાર કંપનીના હાઇટેંશન ટાવરની કામગીરીને અટકાવી વળતર નક્કી કરો પછી પછી કામગીરી કરવા જણાવ્યું હતું .12 વર્ષ પૂર્વે એસ્સાર કંપની દ્વારા  રવીન્દ્રા, પિલુદ્રા,અને કરમાલી ગામના 8 ટાવર માટે  ખેડૂતોના ખેતરમાં હાઈટેન્સન ટાવર નાખવામાં આવ્યા હતા ત્યારે પિલુદ્રા ગામ નજીક એક્સપ્રેસ વેમાં ટાવર લાઈનને ઉંચી કરવા એસ્સાર .કંપનીએ કામગીરી શરુ કરી હતી. આજ રોજ એસ્સાર કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિલુદ્રા ગામની સીમમાં  ખેડૂતોને  નોટિસ કે જાણ કર્યા વગર ટાવર ખસેડવા માટે કામગીરી કરવા આવી પહોંચતા જમીન આપનાર ખેડૂતો સહીત સ્થાનિક ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી અને વળતર નક્કી કરવા જણાવ્યું હતું. ખેડૂતોએ અંકલેશ્વર  પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજૂઆત કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.