New Update
-
અંકલેશ્વરમાં ખેડૂતોનો વિરોધ
-
પીલુદ્રા ગામે વિરોધ નોંધાવ્યો
-
ખાનગી કંપનીના ટાવરની કામગીરીનો વિરોધ
-
ખેડૂતો દ્વારા વળતરની કરવામાં આવી માંગ
-
પ્રાંત અધિકારીને પણ કરાય રજુઆત
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાં પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી
અંકલેશ્વરના પિલુદ્રા ,રવિદ્ર અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ વળતરની માંગણી સાથે એસ્સાર કંપનીના હાઇટેંશન ટાવરની કામગીરીને અટકાવી વળતર નક્કી કરો પછી પછી કામગીરી કરવા જણાવ્યું હતું .12 વર્ષ પૂર્વે એસ્સાર કંપની દ્વારા રવીન્દ્રા, પિલુદ્રા,અને કરમાલી ગામના 8 ટાવર માટે ખેડૂતોના ખેતરમાં હાઈટેન્સન ટાવર નાખવામાં આવ્યા હતા ત્યારે પિલુદ્રા ગામ નજીક એક્સપ્રેસ વેમાં ટાવર લાઈનને ઉંચી કરવા એસ્સાર .કંપનીએ કામગીરી શરુ કરી હતી. આજ રોજ એસ્સાર કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિલુદ્રા ગામની સીમમાં ખેડૂતોને નોટિસ કે જાણ કર્યા વગર ટાવર ખસેડવા માટે કામગીરી કરવા આવી પહોંચતા જમીન આપનાર ખેડૂતો સહીત સ્થાનિક ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી અને વળતર નક્કી કરવા જણાવ્યું હતું. ખેડૂતોએ અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજૂઆત કરી હતી.
Latest Stories