અંકલેશ્વર: ગડખોલ ટી બ્રિજ નીચે સહજાનંદ કોમ્પ્લેક્ષની 4-5 દુકાનોમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી

New Update

અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ

Advertisment

ગડખોલ વિસ્તારમાં લાગી આગ

સહજાનંદ કોમ્પ્લેક્ષની દુકાનોમાં આગ

4-5 દુકાનોમાં આગ ફાટી નિકળી

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો
Advertisment
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે.અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment