અંકલેશ્વર: ગડખોલ ટી બ્રિજ નીચે સહજાનંદ કોમ્પ્લેક્ષની 4-5 દુકાનોમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી

New Update

અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ

ગડખોલ વિસ્તારમાં લાગી આગ

સહજાનંદ કોમ્પ્લેક્ષની દુકાનોમાં આગ

4-5 દુકાનોમાં આગ ફાટી નિકળી

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે.અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.