અંકલેશ્વર: ગડખોલ ટી બ્રિજ નીચે સહજાનંદ કોમ્પ્લેક્ષની 4-5 દુકાનોમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી

New Update

અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ

ગડખોલ વિસ્તારમાં લાગી આગ

સહજાનંદ કોમ્પ્લેક્ષની દુકાનોમાં આગ

4-5 દુકાનોમાં આગ ફાટી નિકળી

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે.અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.