અંકલેશ્વર; સુરવાડી ગામે રમણીય વન કવચનું વનવિભાગ દ્વારા કરાયુ નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" તથા એક રમણીય સહેલાણીય સ્થળ નું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
Van Kavach Survadi
અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સ્થાપના દિન નિમિત્તે  અંકલેશ્વર રેન્જના સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે વન સંરક્ષક આનંદકુમાર અને નાયબ વન સંરક્ષક  ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જુના સુરવાડી ગામમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૦૩ હેક્ટર વિસ્તારમાં નવ નિર્મિત વન કવચ, સુરવાડી તથા એક રમણીય સહેલાણીય સ્થળનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આગેવાનોએ સમગ્ર પરીસરમાં ભ્રમણ કરીને સુવિધાઓની ચકાસણી કરી હતી.
Advertisment
Van Kavach Survadi
Advertisment
Latest Stories