અંકલેશ્વર : જીનવાલા સ્કૂલ ખાતેથી 5 તાલુકાઓની શાળામાં ધો-1થી 12ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરાયું.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં  ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે 5 તાલુકાઓમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફાળવવામાં આવેલ ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોનું શાળાના શિક્ષકોને વિતરણ કરવા આવ્યું હતું. શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વિતરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં  ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સરકારીગ્રાન્ટેડએકલવ્ય મોડલ સ્કૂલઆદર્શ નિવાસી આશ્રમ શાળાઓમાં વિનામુલ્યે પાઠ્યપુસ્તકોની ફાળવણી કરવામાં આવે છેત્યારે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાંસોટઝઘડિયાઅંકલેશ્વરવાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા વિકાસ સંકુલના કન્વીનર ઈશ્વર પરમારની અધ્યક્ષતા હેઠળ વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો ને ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુંઅને શૈક્ષણીક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓમાં  પાઠ્યપુસ્તકોનું વિતરણ  કરવામાં આવનાર છે.

 

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.