અંકલેશ્વર: શ્રી ગણેશની પ્રતિમાઓનું 4 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને

New Update
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન
કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
શહેર વિસ્તારમાં 3 અને જીઆઈડીસીમાં 1 કૃત્રિમકુંડનું નિર્માણ
ભક્તિસભર માહોલમાં બાપ્પાને અપાય વિદાય
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી હતી.અંકલેશ્વર શહેર, જીઆઇડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજરોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા નાદ તેમજ ગુલાલની છોળો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી.અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે નગર સેવાસદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા.તો આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીમાં ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.