અંકલેશ્વર: શ્રી ગણેશની પ્રતિમાઓનું 4 કૃત્રિમ જળકુંડમાં વિસર્જન

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર, અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને

New Update
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન
કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
શહેર વિસ્તારમાં 3 અને જીઆઈડીસીમાં 1 કૃત્રિમકુંડનું નિર્માણ
ભક્તિસભર માહોલમાં બાપ્પાને અપાય વિદાય
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજરોજ ભગવાન શ્રીગણેશને વિદાય આપવામાં આવી હતી.અંકલેશ્વર શહેર, જીઆઇડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું ત્યારે આજરોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા નાદ તેમજ ગુલાલની છોળો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી.અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. આ સમયે નગર સેવાસદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા.તો આ તરફ અંકલેશ્વર જીઆઇડીસીમાં ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.