અંકલેશ્વર: અલુણાવ્રત પૂર્વે સૂકામેવાના ભાવમાં વધારો, ભાવ 20%,વધ્યા

હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે.તો બીજી તરફ  ડ્રાયફ્રુટના ભાવો પણ વધ્યા છે.કાજુ-બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 20 ટકાનો વધારો થયો

New Update
અલુણા વ્રતને આડે ગણતરીના દિવસો બાકી
ભાવિનો મનગમતો ભરથાર પ્રાપ્ત કરવા મારે વ્રતની ઉજવણી
અલુણા પૂર્વે સૂકામેવાનો ભાવ વધ્યો
ભાવમાં 20%નો થયો વધારો
મધ્યમ વર્ગના ખિસ્સા પર વધુ એક માર
અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ફ્રુટના ભાવોમાં  વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાય ફ્રુટના ભાવોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. કુંવારિકાઓના પ્રિય એવા અલુણા વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાવિનો મનગમતો ભરથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.બાળાઓ મીઠા વિનાનું ભોજન આરોગી ભગવાન ભોળા શંભુને ભજે છે.

સૂકામેવાના ભાવમાં વધારો

આ વર્તની ઉજવણી શરુ થાય તે પૂર્વે જ બજારમાં ડ્રાયફ્રુટના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે.તો બીજી તરફ  ડ્રાયફ્રુટના ભાવો પણ વધ્યા છે.કાજુ-બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 20 ટકાનો વધારો થયો છે.જેને કારણે કુંવારિકાઓના માતા પિતાએ મહિનાનું બજેટ ખોરવાયુ છે
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.