અંકલેશ્વર:આંતર શાળાકીય સાયન્સ કવીઝ કોમ્પિટિશન યોજાય,વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અંકલેશ્વરની ઇન્ડોરમા વેનચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ વડોદરાની આર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજરોજ અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ કવીઝનુ કોમ્પિટિશનનું આયોજન હાથ ધરવામાં આવ્યુ

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • આંતર શાળાકીય કવિઝ કોમ્પિટિશન યોજાય

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન

  • નિર્ણાયકો રહ્યા હાજર

Advertisment
અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ કવીઝ કોમ્પિટિશન યોજાય હતી જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અંકલેશ્વરની ઇન્ડોરમા વેનચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ વડોદરાની આર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજરોજ અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ કવીઝનુ કોમ્પિટિશનનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.
જેમાં અંકલેશ્વરની દશ જેટલી શાળાના વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લીધો હતો.શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત આર્ચ ફાઉન્ડેશન તેમજ ઇન્ડોરમા વેનચર્સ કંપની દ્વારા આ અગાઉ આંતર શાળાકીય કવીઝ યોજવામાં આવી હતી જે સ્પર્ધાનો ફાયનલ રાઉન્ડ આજે અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં અંકલેશ્વરની દશ શાળાઓની ટીમો વચ્ચે કવીઝ યોજાઈ હતી.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment