અંકલેશ્વર: જોય હોસ્પિટલના તબીબ દ્વારા દર્દીના ગર્ભાશય અને અંડાસય વચ્ચેથી 12 કિલોની ગાંઠ દૂર કરી

ડો.જીગ્નેશ પટેલ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોકટરે સાડા બાર કિલો ગ્રામ જેટલી ગાંઠ દુર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી

New Update
joy hospital Ankleshwar
અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં ગર્ભાસ્ય અને અંડાસયની વચ્ચેથી સાડા બાર કિલોની ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ જોય એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક દર્દી સારવાર માટે દાખલ થયું હતું જે દર્દીને ગર્ભાસ્ય અને અંડાસયની વચ્ચે ગાંઠ જોવા મળી હતી જે માટે ડો.જીગ્નેશ પટેલ દ્વારા આજરોજ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોકટરે સાડા બાર કિલો ગ્રામ જેટલી ગાંઠ દુર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી હતી.આ ઓપરેશન રાહતદરે પાર પાડવામાં આવ્યું હતું.ઓપરેશન બાદ દર્દીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories