અંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા અટલજી જોગર્સ પાર્ક ખાતે કડવા લીમડાના રસનું કરાયુ વિતરણ

ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે ગુડી પડવાની ઉજવણી

  • કડવા લીમડાનો રસ પીવાનો છે મહિમા

  • રઘુવંશી લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ

  • અટલજી જોગર્સ પાર્ક ખાતે લીમડાના રસનું વિતરણ કરાયું

  • આરોગ્ય સારું રાખવા લીમડાના રસનું કરવામાં આવે છે સેવન

Advertisment
ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું
દર વર્ષે ચૈત્ર માસમાં અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું અટલજી જોગર્સ પાર્ક ખાતે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું  જે લીમડાના રસનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રઘુવંશી લોહાણા સમાજના નરેશ પુજારા,રમેશ જસાણી,કલ્પેશ વિઠલાણી તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment