અંકલેશ્વર: હાંસોટનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર, સરપંચ તરીકે નિશા રાઠોડ-ડે.સરપંચ તરીકે હિરેન પટેલની વરણી

ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે આજ રોજ  ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિન હરીફ વરણી કરાય

New Update
  • ભરૂચના હાંસોટ તાલુકામાં આવેલું છે ગામ

  • ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ

  • સરપંચ તરીકે નિશા રાઠોડ

  • ડે.સરપંચ તરીકે હિરેન પટેલની વરણી

  • ગ્રામજનોએ શુભકામના પાઠવી

ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે આજ રોજ  ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાય હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિન હરીફ વરણી કરાય હતી
ભરૂચના હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજરોજ હાંસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ ગામના આગેવાન ભરત પટેલ, અલ્પેશ પટેલ, રમણભાઈ પટેલ, દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઈલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગામ ની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.