અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા રિજનલ વન કોનફરન્સ યોજાય,નર્મદા મૈયા સેવા રત્નોનું કરાયુ સન્માન

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રીઝનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રિજનલ વન કોન્ફરન્સ યોજાય

  • ગણેશ પ્લાઝા ખાતે કરવામાં આવ્યું આયોજન

  • નર્મદા મૈયા સેવા રત્નોનું કરાયુ સન્માન

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રીજનલ વન  કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો હતો 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રિલાયન્સ ટ્રેડની ઉપર ગણેશ પ્લાઝા ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રીઝનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્મદા મૈયા સેવા રત્નો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રીઝનલ-૧ અંદર આવતા વિવિધ ક્લબોએ કરેલ સેવા કાર્યો બદલ તેઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુમંગલમ પ્રાઇવેટ લીમીટેડના ભૂતપૂર્વ ઈન્ડીપેન્ડન્ટ ડીરેક્ટર અને એન્જીનીયરીંગ ઇન્ડિયા લીમીટેડના ઓડીટ કમિટી ચેરમેન હરીશ જોશી,ડીસ્ટ્રીક્ટ ગવર્નર પરેશ પટેલ, રીઝનલ ચેરપર્સન શૈલેશ પટેલ,કાઉન્સિલના વાઈસ ચેરપર્સન દીપક પખાલે,હીના પી.પટેલ,જીલ્લા પ્રમુખ ધ્વનિલ દેસાઈ,સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ગવર્નર હેમલ પટેલ,ફસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર મોના દેસાઈ,કોન્ફરન્સ કમિટીના ચેરપર્સન નલીન રામાણી,સેકેટરી મહેશ સબલપુરા,ટ્રેઝરર જી.આર.પટેલ તેમજ પ્રમુખ રાજેશ દુધાત,ખજાનચી યોગેશ પટેલ સહીત સભ્યો સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું