અંકલેશ્વર: લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઉર્જા 2025 વાર્ષિકોત્સવનું આયોજન

લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઊર્જા 2025 વાર્ષિક ઉત્સવનું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 650થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે લાયન્સ સ્કૂલ

  • ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો

  • શાળાના 650થી વધુ બાળકોએ લીધો ભાગ

  • વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • આગેવાનો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઉર્જા 2025 નામક વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઊર્જા 2025 વાર્ષિક ઉત્સવનું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 650થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આ સાથે જ શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમત સેલડીયા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રાજેશ દુધાતા, વિમલ જેઠવા, શાળાના આચાર્ય અફરોઝ મૌલવી શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.