અંકલેશ્વર : મહેશ્વરી ગ્રુપ દ્વારા યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું કરાયું આયોજન, મહિલાઓએ વિવિધ સ્પર્ધામાં લીધો ભાગ

અંકલેશ્વરની યુપીએલ લાઈબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

New Update
  • મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન

  • યુપીએ લાઈબ્રેરી ખાતે કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ સ્પર્ધામાં મહિલાઓએ લીધો ભાગ

  • સોલો અને ગ્રુપ ડાન્સ,મિસ ગણગોરની યોજાઈ સ્પર્ધા

  • મહેશ્વરી ગ્રુપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ઉઠાવી જહેમત

અંકલેશ્વરના મહેશ્વરી ગ્રુપના પ્રમુખ નીલમબેન,કમલાબેન અને અન્ય ગ્રુપના કરૂણા કોઠારી અને કોમલબેન દ્વારા જીઆઇડીસીમાં આવેલ યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંગીની ગ્રુપના લતાબેન શાહ,સીમાબેન મુંદડા અને નગરપાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી,આ ગણગોર ઉત્સવમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ,અને મિસ ગણગોરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉપસ્થિત મહિલાઓએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.