અંકલેશ્વર : મહેશ્વરી ગ્રુપ દ્વારા યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું કરાયું આયોજન, મહિલાઓએ વિવિધ સ્પર્ધામાં લીધો ભાગ

અંકલેશ્વરની યુપીએલ લાઈબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

New Update
  • મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન

  • યુપીએ લાઈબ્રેરી ખાતે કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ સ્પર્ધામાં મહિલાઓએ લીધો ભાગ

  • સોલો અને ગ્રુપ ડાન્સ,મિસ ગણગોરની યોજાઈ સ્પર્ધા

  • મહેશ્વરી ગ્રુપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ઉઠાવી જહેમત

Advertisment

અંકલેશ્વરના મહેશ્વરી ગ્રુપના પ્રમુખ નીલમબેન ,કમલાબેન અને અન્ય ગ્રુપના કરૂણા કોઠારી અને કોમલબેન દ્વારા જીઆઇડીસીમાં આવેલ યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંગીની ગ્રુપના લતાબેન શાહ,સીમાબેન મુંદડા અને નગરપાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી,આ ગણગોર ઉત્સવમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ,અને મિસ ગણગોરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉપસ્થિત મહિલાઓએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...

આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા

  • ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

  • આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસારભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કેટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફઆમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment