અંકલેશ્વર : મહેશ્વરી ગ્રુપ દ્વારા યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું કરાયું આયોજન, મહિલાઓએ વિવિધ સ્પર્ધામાં લીધો ભાગ

અંકલેશ્વરની યુપીએલ લાઈબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

New Update
  • મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન

  • યુપીએ લાઈબ્રેરી ખાતે કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ સ્પર્ધામાં મહિલાઓએ લીધો ભાગ

  • સોલો અને ગ્રુપ ડાન્સ,મિસ ગણગોરની યોજાઈ સ્પર્ધા

  • મહેશ્વરી ગ્રુપ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ઉઠાવી જહેમત

અંકલેશ્વરના મહેશ્વરી ગ્રુપના પ્રમુખ નીલમબેન ,કમલાબેન અને અન્ય ગ્રુપના કરૂણા કોઠારી અને કોમલબેન દ્વારા જીઆઇડીસીમાં આવેલ યુપીએલ લાઈબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંગીની ગ્રુપના લતાબેન શાહ,સીમાબેન મુંદડા અને નગરપાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી,આ ગણગોર ઉત્સવમાં સોલો ડાન્સ,ગ્રુપ ડાન્સ,અને મિસ ગણગોરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉપસ્થિત મહિલાઓએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Read the Next Article

“વિશ્વ રક્તદાન દિવસ”  : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન શિબિર યોજાય...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • આજે સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ

  • જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ-રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 100મી રક્તદાન શિબિર યોજાય

  • મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છેત્યારે આજરોજ તા. 14મી જૂન એટલે કેવિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પરિસરમાં આવેલ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ યોજાયેલ 100મી રક્તદાન શિબિર હતી. આ રક્તદાન શિબિરના આયોજન દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતોઅને અનેક લોકોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના મૃણાલ કાપડિયાસેક્રેટરી રશ્મિકાંત મેનગરરમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.