અંકલેશ્વર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય

અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે સ્કૂલ

  • સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આયોજન

  • વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય

  • કાઉન્સિલર દ્વારા અપાયું માર્ગદર્શન

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય-  દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાના વડા  કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી તથા ટ્રસ્ટી કિશોર પાનસુરિયાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે વર્તમાન સમયમા દરેક ઉમરના વિદ્યાર્થીઓમા અનેક સમસ્યા જોવા મળતી હોય છે જેમ કે યાદ ના રહેવું, ભણવું ના ગમવું, પરીક્ષાનો ડર લાગવો, આત્મવિશ્વાસનો અભાવ અને  ડિપ્રેસનને દૂર કરવા ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના કાઉન્સેલર  અશોક વિરડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને “આનાપાનસતિ ધ્યાન "શીખવવામાં આવ્યું અને છેલ્લા દસ દિવસથી રોજ શાળામા તેની પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને રોજ ઘરે માત્ર ૧૫ મિનિટ કરવા માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓ અનુસરી રહ્યા છે.આ પસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment