અંકલેશ્વર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય

અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે સ્કૂલ

  • સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આયોજન

  • વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાય

  • કાઉન્સિલર દ્વારા અપાયું માર્ગદર્શન

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય-  દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાના વડા  કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી તથા ટ્રસ્ટી કિશોર પાનસુરિયાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે વર્તમાન સમયમા દરેક ઉમરના વિદ્યાર્થીઓમા અનેક સમસ્યા જોવા મળતી હોય છે જેમ કે યાદ ના રહેવું, ભણવું ના ગમવું, પરીક્ષાનો ડર લાગવો, આત્મવિશ્વાસનો અભાવ અને  ડિપ્રેસનને દૂર કરવા ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના કાઉન્સેલર  અશોક વિરડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને “આનાપાનસતિ ધ્યાન "શીખવવામાં આવ્યું અને છેલ્લા દસ દિવસથી રોજ શાળામા તેની પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને રોજ ઘરે માત્ર ૧૫ મિનિટ કરવા માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે. જે મુજબ વિદ્યાર્થીઓ અનુસરી રહ્યા છે.આ પસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.