અંકલેશ્વર: માર્ગ સલામતી અંતર્ગત ટ્રાફિક પોલીસ અને લ્યુપીન કંપની દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ  કાર્યક્રમ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં માર્ગ સલામતી માસની ઉજવણી

  • જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન

  • ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • લ્યુપીન લિમિટેડ કંપનીનો સહયોગ સાંપડ્યો

  • વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી કરાવાયા અવગત

ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ  કાર્યક્રમ યોજાયો હતો 
માર્ગ સલામતી માસ અને પરવાહ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો અંગે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે ટ્રાફિક નિયમો અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જીલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ બી.એલ.મહેરિયા,પી.એસ.આઈ. જે.પી.પારેખ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિતના કર્મચારીઓની હાજરીમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કર્મચારીઓ વિવિધ સૂત્ર લખેલા બેનર સાથે માર્ગ પર ઉભા રહ્યા હતા અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતા.આ સાથે જ કંપની દ્વારા વાહનચાલકોને ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું..
Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.