અંકલેશ્વર: ઉછાલી ગામ સ્થિત દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન, યજ્ઞમાં 3.50 લાખ આહુતિ અપાશે

નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે

New Update
  • અંકલેશ્વરના ઉછાલી ગામે આવેલો છે દત્ત આશ્રમ

  • દત્ત આશ્રમ ભક્તોની અનન્ય આસ્થાનો પ્રતિક

  • ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું આયોજન

  • સ્વહાકાર સાથે ગૃરુલીલામૃતનું પારાયણ

  • 200થી વધુ દત્તભક્તો લઈ રહ્યા છે લાભ

Advertisment
નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે

પાવન સલીલા માં નર્મદાના કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રીરંગ અવધૂત મહારાજે યોગસાધના અને ભક્તિભાવનાના સહારે લોકકલ્યાણનાં અનેક કાર્યો કરી ગુરુલીલામૃત જેવા વરદ ગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે પૂજ્ય નર્મદા નંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે તા. 23 માર્ચથી 29 માર્ચ સુધી ગૃરુલીલામૃતના સ્વહાકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.ભગવાન દત્તાત્રેયના 16 અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં 16 ભુદેવો દ્વારા ગૃરુલીલામૃતના ત્રણ કાંડ જ્ઞાનકાંડ,કર્મકાંડ અને ઉપાસના કાંડના કુલ 19,005 શ્લોક મળી 7 દિવસમાં 3.50 લાખ આહુતિ આપવામાં આવી રહી છે.

આ સાથે જ ભરૂચ-સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ 200થી વધુ દત્તભક્તો શ્રી ગૃરુલીલામૃતનું સામુહિક પારાયણ પણ કરી રહ્યા છે. આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના સુમધુર કંઠે ગૃરુલીલામૃતના શ્લોકના પઠન થઈ યજ્ઞમાં આહુતિ અપાવવામાં આવી રહી છે. વિશ્વ શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય એ હેતુથી યોજાયેલ આ યજ્ઞમાં દૂધ,ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા  આહુતિ આપવામાં આવી રહી છે.

બાઈટ
વિપુલ વ્યાસ- આચાર્ય
વિઓ-2
ઈ.સ. 1972માં ઉછાલી ગામ ખાતે રંગ અવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત્ત આશ્રમની સ્થાપના કરી હતી. રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમો આ આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યો છે.આ સ્થળે નર્મદાનંદજી મહારાજે 37 વર્ષ સાધના કરી હતી.આ આશ્રમમાં દત્ત મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદાનંદજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં નિત્ય સામુહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે.આ ઉપરાંત ગૃરુપૂર્ણિમા, ગુરુપૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.પૂજ્ય નર્મદાનંદજી મહારાજના આદેશ થકી આ આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.
બાઈટ
નિલેશ પટેલ- ટ્રસ્ટી,દત્ત આશ્રમ 
વિઓ-3
રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિમાં લીન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કૌભાંડની તપાસ માટે મોટો નિર્ણય

  • સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

  • 11 પોલીસકર્મીઓ કૌભાંડની કરશે તપાસ

  • DYSP ડો.અનિલ સિસારાને સીટની કમાન

Advertisment
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન ડી.વાય.એસ.પી.ડો. અનિલ સિસારાને આપવામાં આવી છે.. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર,એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચારાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયુ છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Advertisment