અંકલેશ્વર : ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા દ્વારા શૈક્ષણિક સંકુલો-સ્લમ વિસ્તારમાં સાફ-સફાઈ સાથે દવાનો છંટકાવ કરાયો...

ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી  શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે  સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

New Update

રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો મચ્યો છે કહેર

વાયરસથી સંક્રમિત દર્દીના કેસમાં આવ્યો ઉછાળો

ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા તંત્ર સજ્જ બન્યું

શાળા-આંગણવાડીમાં સફાઈ સાથે દવાનો છંટકાવ

ચાંદીપુરા વાયરસથી સાવચેત રહેવા લોકોને અપીલ

ભરૂચ જિલ્લાનાઅંકલેશ્વરનગરપાલિકા દ્વારાચાંદીપુરાવાયરસને લઇ સાવચેતીના ભાગરૂપેશાળા,આંગણવાડીસહિતસ્લમ વિસ્તારમાં સધન સફાઈ સાથે દવાનાછંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્રગુજરાતમાંચાંદીપુરા વાયરસના કેસસતત સામે આવી રહ્યા છે,અત્યાર સુધીમાં ચાંદીપુરાવાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે32 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી21 બાળકોના મોત થયા છે. જોકે,સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસસામે આવ્યો નથીપરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપેકાર્યવાહી શરૂ કરવામાં આવીછે.

પાલિકા દ્વારાચાંદીપુરાવાયરસને ધ્યાને લઇશહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ,ખાનગીશાળાતેમજઆંગણવાડીઓનાસંકુલ ખાતેસાફ-સફાઈ કરીદવાનોછંટકાવ કરવામાં આવ્યોહતો.તો બીજી તરફ,હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલેકેટલાક વિસ્તારોમાં ભરાયેલાપાણી ઓસરતાંઅંકલેશ્વરપાલિકા દ્વારાયુદ્ધના ધોરણેસાફ-સફાઈ કરીદવાનો છંટકાવકરવામાં આવ્યો હોવાનું પાલિકાનાસેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યુ હતું.