અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતો સંગીતમય કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમા માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો શ્યામલ-સૌમિલ મુન્શીનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો,વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. આ કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી તેમજ છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી નૈત્રીએ ગુજરાતી ભાષાના મહાત્મ્યને ઉજાગર કરવા બાળ કાવ્યો, અને ગીતો ઉપર નાટ્ય પ્રસ્તુતિ રજુ કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા.
ત્યારબાદ શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટીએ ગુજરાતી બાળગીતો તેમજ માતૃભાષાના વટને ઉજાગર કરતા ગીતો રજુ કર્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, શાળાના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ એન.કે.નાવડીયા, મંત્રી હિતેન આનંદપુરા,અગ્રણીઓ નરેશ પુજારા, મનોજ આનંદપુરા તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.