અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતો સંગીતમય કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમા માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો શ્યામલ-સૌમિલ મુન્શીનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો,વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. આ કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી તેમજ છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી નૈત્રીએ ગુજરાતી ભાષાના મહાત્મ્યને ઉજાગર કરવા બાળ કાવ્યો, અને ગીતો ઉપર નાટ્ય પ્રસ્તુતિ રજુ કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા.
ત્યારબાદ શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટીએ ગુજરાતી બાળગીતો તેમજ માતૃભાષાના વટને ઉજાગર કરતા ગીતો રજુ કર્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, શાળાના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ એન.કે.નાવડીયા, મંત્રી હિતેન આનંદપુરા,અગ્રણીઓ નરેશ પુજારા, મનોજ આનંદપુરા તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.