New Update
/connect-gujarat/media/media_files/2025/05/31/aK0lQk9BDqN0O78Rj4ZQ.jpg)
અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં રહેતા રાજેશ નટવરભાઈ મોદી દ્વારા ગામના સરપંચ કિરણ એલ વસાવાએ પંચવટી બાગમાંથી પરવાનગી વિના પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન કર્યું હોવાની મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીએ રજુઆત કરી હતી.
જે બાદ સ્થળ તપાસ કરતા આ વૃક્ષો સરકારી જમીનમાંથી કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ગામના સરપંચ કિરણ વસાવાને એક વૃક્ષ દીઠ 1 હજાર મળી કુલ 5 વૃક્ષના નિકંદન બદલ 5 હજારનો દંડ ફટકાર્યો છે.
Latest Stories