New Update
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબહેન પટેલ તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. શાળામાં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે જ શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું