અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો

New Update

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આયોજન

10માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

21 ગામના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર અપાયો

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.21 ગામના લાભાર્થીઓ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.