અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિતPWD ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવા, સંઘપ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.