અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો

New Update

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આયોજન

10માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

21 ગામના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર અપાયો

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.21 ગામના લાભાર્થીઓ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડિયાના રાજપારડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ઉજવણી

  • રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સાંસદ મનસુખ વસાવા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિતPWD ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાસંઘપ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાઝઘડીયાનેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોકાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.