અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો

New Update

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આયોજન

10માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

21 ગામના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર અપાયો

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.21 ગામના લાભાર્થીઓ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.