અંકલેશ્વર: શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું કરાયુ સન્માન

અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં  સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું

New Update

અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં  સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જે.સી.આઈ ભવન ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે જલારામ બાપાની આરતી ઉતારી સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરના પ્રમુખ નરેશ પુજારા, ઉપપ્રમુખ બકુલ ઉનડકડ અને મંત્રી રમેશ જસાણી,ટ્રસ્ટી કલ્પેશ વિઠલાણી અને દક્ષાબેન વિઠલાણી,દામોદર સમાની,સિરિઝ સેજપાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.