અંકલેશ્વર: શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું કરાયુ સન્માન

અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં  સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું

New Update

અંકલેશ્વર શ્રી રઘુવંશી લોહાણા સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં  સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જે.સી.આઈ ભવન ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી જેમાં સમાજની વાડી માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે જલારામ બાપાની આરતી ઉતારી સમાજના સભ્યોએ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં શ્રી રઘુવંશી લોહાણા સમાજ અંકલેશ્વરના પ્રમુખ નરેશ પુજારા, ઉપપ્રમુખ બકુલ ઉનડકડ અને મંત્રી રમેશ જસાણી,ટ્રસ્ટી કલ્પેશ વિઠલાણી અને દક્ષાબેન વિઠલાણી,દામોદર સમાની,સિરિઝ સેજપાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.