અંકલેશ્વર: શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા અને રથયાત્રા યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમો અને ટેબ્લૉ રજૂ કરવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • જન્માષ્ટમી નિમિત્તે આયોજન

  • સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજન

  • ભગવાનની શોભાયાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રાનું સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
જીઆઇડીસીમાં આવેલ સરદાર ભવન ખાતેથી નીકળેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા.રથયાત્રા યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમો અને ટેબ્લૉ રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ જાગાણી સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories