અંકલેશ્વર: કાપોદ્રાની શ્રીધર વિલા સોસા.માં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો 

New Update

Advertisment

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો 

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજાને તાળું મારી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરે બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 15 હજાર સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાં સામાન વેરવિખેર જોતાં મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી.આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક અજાણ્યો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી મુલત્વી, વળતરના એવોર્ડમાં યોગ્ય સુધારા કરવા માંગ

ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં આકાર પામશે ભાડભૂત બેરેજ યોજના

  • યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનવણી

  • આજે યોજાનાર સુનવણી મુલત્વી રહી

  • અધિકારી હાજર ન રહેતા સુનવણી મુલત્વી

  • નવી તારીખ માંગવામાં આવી

Advertisment
ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.
ભરૂચમાં આકાર લઈ રહેલ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ચાર ગામોના ખેડૂતો માટે આજે યોજાનારી સુનાવણી કોઈ કારણોસર નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રાખવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ એવોર્ડમાં સુધારા કરી, ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમલ કબજાઓ અટકાવાની માંગ કરી છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Advertisment
Latest Stories