અંકલેશ્વર:ધો.8ના વિદ્યાર્થીએ રનવે-એરપોર્ટનું આબેહૂબ મોડેલ તૈયાર કર્યું

અંકલેશ્વરની ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનોના વર્કશોપનું મોડેલ ઊભું કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

author-image
By Connect Gujarat
New Update

અંકલેશ્વરની ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ પરિવાર અને શાળા પરિવારના સપોર્ટથી રનવે સાથે એરપોર્ટ અને વિમાનોના વર્કશોપનું મોડેલ ઊભું કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

બાળપણમાં જોયાલેય સપના સાકાર કરવા માટે મહેનત સાથે પરિવારનો સાથ સહકાર ખૂબ જરૂરી હૉય છે.તેવામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા અંકુર પટેલ સ્ટીલનો વેપાર કરે છે.જ્યારે તેઓની પત્ની રશ્મિ પટેલ ફિઝિયોથેરાપીસ્ટ છે.જેઓનો પુત્ર કુશ પટેલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ચંદ્રબાલા એકડેમી ખાતે ધોરણ-8માં અભ્યાસ કરે છે.કુશ પટેલને નાનપણથી પાયલોટ બનવાની ઈચ્છા છે.માતા-પિતા અને દાદા-દાદી તેમજ શાળા પરિવારના સપોર્ટથી બાળકે પોતાના ઘરે વેસ્ટ વસ્તુઓમાંથી જ અનોખુ વર્કશોપ બનાવી દીધું છે.બાળકે રનવે સાથે એરપોર્ટનું મોડલ બનાવ્યું છે.જેમાં પ્લેન,ટેન્ક અને રેસિંગ કાર સહિતના સાધનોના મોડલ બનાવ્યા છે.હાલ તો આ બાળકે બનાવેલ વર્કશોપમાં રહેલ વિવિધ મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.