અંકલેશ્વર:સી.એમ.એકેડમીમાં સ્વિમિંગ પુલના બાંધકામ દરમ્યાન સ્ટ્રક્ચર ધરાશાયી ,23 કામદારોને ઇજા

ભરૂચ | Featured | સમાચાર ,અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા

New Update
અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાય દુર્ઘટના
Advertisment W3.CSS
સી.એમ.એકેડમીમાં સ્ટ્રક્ચર ધરાશાયી
સ્વિમિંગ પુલનું કામ ચાલી રહ્યું હતું
23 કામદારોને ઇજા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોની ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડમીમાં સ્વિમિંગ પૂલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આજે બપોરના સમયે એકાએક જ સ્ટ્રક્ચર ધરાશયી થઈ જતા નજીકમાં કામ કરી રહેલા 23 જેટલા કામદારોની ઈજા પહોંચી હતી.સ્ટ્રક્ચર ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ કલેકટર તુષાર સુમેરા પણ દોડી આવ્યા હતા તેઓએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 23 જેટલા કામદારોને ઈજા પહોંચી છે. હવે કોઈ કામદાર સ્ટ્રક્ચરની નીચે દબાયુ નથી. બનાવની તપાસ કરવામાં આવી રહી છે 

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.