અંકલેશ્વર : સુજલામ સુફલામ અભિયાન સિસોદ્રા ગામ માટે બન્યુ આશીર્વાદરૂપ

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે

New Update

ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે

Advertisment
2/38

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર,હાંસોટ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ્ અભિયાન 2018થી જનભાગીદારીથી હાથ ધરાયું છે,  જેમાં અંકલેશ્વરના સિસોદ્રા ગામમાં આવેલ 125 વિંઘાના તળાવને ઊંડું કરવાં સાથે વનીકરણ અને  નવીનીકરણ કરાયું છે.જેથી પંચાયતને રૂ.દસ લાખની વાર્ષિક આવક પણ ઉભી થઇ છે.સિસોદ્રા ગામના સરપંચ સહિત સભ્યો પણ ગામના આ તળાવના નવીનીકરણથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.સિસોદ્રાના તળાવનો સુજલામ સુફલામ્ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીનના જળસ્તર  ઉપર આવ્યા  છે તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યારે ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ઉપયોગમાં લઇ શકાય છે
ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓના પણ અનેક ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય સમૃદ્ધિમાં વધારો થતાં ગ્રામજનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજનાના ફળ  ગ્રામજનો સુધી પોહચી રહ્યા હોય તેમ કહી શકાય
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.