New Update
ભરૂચના અંકલેશ્વર તાલુકાના સિસોદ્રા ગામે 125 વીંઘાના તળાવની સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત કાયાકલ્પ કરવામાં આવી છે જેનો ગ્રામજનોને બહોળો લાભ થઇ રહ્યો છે
ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર,હાંસોટ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ્ અભિયાન 2018થી જનભાગીદારીથી હાથ ધરાયું છે, જેમાં અંકલેશ્વરના સિસોદ્રા ગામમાં આવેલ 125 વિંઘાના તળાવને ઊંડું કરવાં સાથે વનીકરણ અને નવીનીકરણ કરાયું છે.જેથી પંચાયતને રૂ.દસ લાખની વાર્ષિક આવક પણ ઉભી થઇ છે.સિસોદ્રા ગામના સરપંચ સહિત સભ્યો પણ ગામના આ તળાવના નવીનીકરણથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.સિસોદ્રાના તળાવનો સુજલામ સુફલામ્ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીનના જળસ્તર ઉપર આવ્યા છે તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યારે ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ઉપયોગમાં લઇ શકાય છે
ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓના પણ અનેક ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય સમૃદ્ધિમાં વધારો થતાં ગ્રામજનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામ યોજનાના ફળ ગ્રામજનો સુધી પોહચી રહ્યા હોય તેમ કહી શકાય
Latest Stories