અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.
ભરૂચના મુલડથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલીયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચથી સાત કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાય છે જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે.ટ્રાફિકજામના કારણે વાહનચાલકોના સમય અને ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.આ તરફ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સાળંગપુરને જોડતો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે.ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે
અંકલેશ્વર: હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા શિરદર્દ બની, જુઓ આકાશી દ્રશ્યો
અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી
New Update
અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.