અંકલેશ્વર : જુના કાંસીયા ગામને પાવન કરતુ નારેશ્વરના નાથ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામનું શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યું છે.ખુદ રંગ અવધૂત મહારાજ આ ગામમાં પધાર્યા હોવાનું કહેવાય છે.

New Update
  • જુના કાંસીયાને પાવન કરતુ રંગ અવધૂતજીનું મંદિર

  • ઈ.સ.1968 જેઠ માસમાં મહારાજ પધાર્યા હતા

  • રંગ અવધૂતજીએ 23 દિવસ સુધી કર્યું હતું રોકાણ

  • મહારાજ ડોળીમાં બેસીને નર્મદા સ્નાન માટે જતા હતા

  • ડોળી ઉંચકનારને આપતા હતા પ્રસાદરૂપે પુષ્પો

  • પ્રસાદ પુષ્પો ડોળીવાળા માટે બની જતા રૂપિયા

  • મંદિર નાનું પણ ભક્તોથી ધબકતું રહે છે પરિસર  

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામનું શ્રી રંગ અવધૂત મહારાજનું મંદિર ભક્તો માટે આસ્થા સ્થાનક બન્યું છે.ખુદ રંગ અવધૂત મહારાજ આ ગામમાં પધાર્યા હોવાનું કહેવાય છે.

અંકલેશ્વર તાલુકાના અને પવન શલીલા માઁ નર્મદા નદીના કિનારે વસેલા જુના કાંસીયા ગામ જમરૂખ,ચીકુ સહિતના ફળોની ખેતીથી ખ્યાતનામ છે.મીઠા ફળની ઓળખથી જાણીતું થયેલું ખોબા જેવડું જુના કાંસીયા ગામ ધાર્મિક ગતિવિધિથી પણ ઓળખ બનાવી રહ્યું છે.ખેતર અને વૃક્ષોની હરિયાળી વચ્ચે નારેશ્વરના નાથ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજનું શાંતિમય સ્વચ્છ વાતાવરણમાં સુંદર મંદિર આવેલું છે.મંદિર ભલે નાનું છે પરંતુ મંદિર પરિસર ભક્તોથી ધબકતું રહે છે.

લોકવાયકા મુજબ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ ઈ.સ.1968ના જેઠ માસમાં નર્મદા કિનારે આવેલા જુના કાંસીયા ગામમાં પધાર્યા હતા.આ ગુપ્ત મુકામમાં રંગ અવધૂત મહારાજ નર્મદા નદીની ગોદમાં વસેલા જુના કાંસીયા ગામ ખાતે રોકાયા હતા.કહેવાય છે કે પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ડોળીમાં બેસીને જતા હતા,અને ડોળી ઉંચકનારને પ્રસાદરૂપે પુષ્પો આપતા હતા,જે પુષ્પ ડોળી ઉંચકનાર ઘરે લઇ જતા તે બાદમાં રૂપિયા બની ગયા હોવાની માન્યતા છે.અને ભરૂચ જિલ્લામાં જુના કાંસીયા ગામે રંગ અવધૂત મહારાજ પધાર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા મહારાજના દર્શન અને આશીર્વાદનો લાહ્વો  લેવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

કહેવાય છે કે શ્રી રંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં થોડીક જ રસોઈમાં અનેક ભક્તો પ્રસાદી આરોગતા હતા.અને નર્મદા નદીના જળનું ઘી બનાવીને અને વરસાદ રોકી રાખવા સહિતના અનેક દિવ્ય લીલાઓથી આ સ્થળ પાવન બન્યું છે.અષાઢ માસ બેઠા પછી ડભોઇ ગામે ગુરુ પૂર્ણિમા પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગે અવધૂતજી સડકમાર્ગે ભરૂચ વગેરે સ્થળોનો રસ્તો કાપીને રંગ અવધૂત મહારાજ ડભોઇ પધાર્યા હતા.

તેમના દિવ્ય આંદોલનોથી આ સ્થળ આજે પણ આલ્હાદિત છે. સ્થાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શનભજનપાઠ-પારાયણ માટે અહીં આવે છેઅને પૂજ્યશ્રીની અનુભૂતિથી કૃતાર્થ થાય છે.વધુમાં અનેક વખત નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યા બાદ તોફાની પાણીએ અહીં ફરી વળ્યા હોવા છતાં પૂ.શ્રી રંગ અવધૂત મહારાજનો મુકામ જે ઘરમાં હતો તે ઘર હજુ યથાવત છે.

Read the Next Article

અંકલેશ્વર: સ્વરછતા સર્વેક્ષણમાં નગર સેવા સદનની મોટી છલાંગ, 63 પરથી 13મો ક્રમ હાંસલ કર્યો

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો

New Update
  • સ્વરછતા સર્વેક્ષણના પરિણામ જાહેર

  • અંકલેશ્વર નગર સેવા સદનનો સારો દેખાવ

  • સમગ્ર દેશમાં 13મો ક્રમ હાંસલ કર્યો

  • ગતવર્ષે 63માં ક્રમે રહી હતી

  • વિવિધ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરાય

દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં અંકલેશ્વર નગર સેવાસદનનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે ગત વર્ષે તેને 63માં ક્રમે રહેલી નગરપાલિકાએ આ વર્ષે સમગ્ર રાજ્યમાં 13મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે જેમાં અંકલેશ્વર નગર સેવા સદનનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અંકલેશ્વર નગર સેવા સદને સમગ્ર દેશમાં 52મો ગુજરાત રાજ્યમાં 13 મો અને સુરત ઝોનમાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. ગત વર્ષે અંકલેશ્વર નગર સેવાસદનનો સમગ્ર રાજ્યમાં 63 મો ક્રમ હતો જોકે તેમાં સુધારો થઈને આ વખતે 13 મો ક્રમ પ્રાપ્ત થયો છે.અંકલેશ્વર નગર સેવા સદનને ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્ટાર મેળવ્યો છે.સ્વચ્છતા સર્વેક્ષણમાં અંક્લેશ્વરને 12,500માંથી 9,792 ગુણ પ્રાપ્ત થયાં છે.
દક્ષિણ ગુજરાતમાં 3 ગાર્બેજ ફ્રી સીટી પૈકી અંકલેશ્વરનો પણ સમાવેશ થયો છે.ભીના અને સુકા કચરાના નિકાલના મામલે પણ અંકલેશ્વર નગર સેવા સદનને 45 ટકા ગુણ મળ્યા છે.આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના વિવિધ માપદંડો સુધી પહોંચવા માટે સમયાંતરે  જનજાગૃતિ કાર્યક્રમો સાથે ટેક્નિકલ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેરમાર્ગો પર સફાઈ અને સ્વરછતા અંગે લોકોની પણ સહભાગીતાના કારણે આટલી સફળતા પ્રાપ્ત થઈ છે.