અંકલેશ્વર : ગાડીમાં ધુમાડો ક્યાંથી નીકળે છે એ જોવા જતાં કાર માથી બેગની ઉઠાંતરી

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે. 

New Update

 

અંકલેશ્વરમાં એક ચીલ ઝડપની ઘટના સામે આવી છે જેમાં બાઇક ચાલકે કાર ચાલકને ગાડીમાં ધુમાડા નીકળે છે એમ કહેતા ધુમાડા જોવા નીચે ઉતરેલ કાર ચાલક ગાડીમાં પરત બેસે તે પહેલા જ 1.50 લાખ ભરેલી બેગ ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે રહેતા મોહંમદ ઈસ્માઈલ અદાત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ અંજલિ કોમ્લેક્ષમાં મોબાઈલ શોપ ધરાવે છે. 12 જુનના રોજ રાત્રે વાગ્યે પોતાના નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી પોતાની કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. તે દરમ્યાન જુના નેશનલ હાઇવે નંબર પર આવેલ લોર્ડ પ્લાઝા હોટલ પાસે એક બાઈક ચાલકે કાર માંથી ધુમાડા નીકળતા હોવાનું જણાવતા તેઓ ગાડી સાઈડ પર ઊભી રાખી બોનેટ ખોલી ધુમાડા ક્યાં થી નીકળી રહ્યા છે. તે જોઈ રહ્યા હતા તે દરમિયાન કારની સીટ પાસે મુકેલ 1.50 લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ કોઈ ઈસમ ચોરી પલાયન થઇ ગયો હતો. તેઓ ધૂમાડા અંગે તપાસ કરી પરત કારમાં બેસવા જતા પોતાની બેગ ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી તેઓ બેગની શોધખોળ શરુ કરતા બેગ ગડખોલ  પાટિયા પર આવેલ શુભમ માર્ટ સામે નહેરની બાજુ માંથી મળી આવી હતી. બેગમાં તમામ ડોક્યુમેન્ટ સલામત રીતે મળી આવ્યા હતા પણ બેગની અંદર રાખેલા રોકડ રૂપિયા 1.50 લાખ ચોરી થઇ જવા પામ્યા હતા. જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઇ તપાસ શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 72 કલાક માં ચીલ ઝડપનો બીજો બનાવ છે અને બંને બનાવમાં ચોરી થયેલ સામાન મળી આવ્યો હતો. અગાઉ અમદાવાદના ધારાશાસ્ત્રીનું લેપટોપ ભરેલી બેગ ચોરી થયું હતું જે રીક્ષા ચાલકે પરત કર્યું હતું. તો ગત રોજ પણ બેગ ચોરી થયું હતું પણ અંદર રહેલી રોકડ ગાયબ હતી. ત્યારે  એક જ ગેંગ સક્રિય હોવાની આશંકા ને નકારી શકાય એમ નથી. 

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.