અંકલેશ્વર: હાંસોટમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, કડક કાર્યવાહીની માંગ

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આતંકી હુમલાનો વિરોધ

  • હાંસોટમાં યોજાયો કાર્યક્રમ

  • મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

  • વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા

Advertisment W3.CSS
જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના હાસોટ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજવલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં હતા.તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચાર કરાયા હતા.આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જે. ડી.પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જીગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.