અંકલેશ્વર: હાંસોટમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, કડક કાર્યવાહીની માંગ

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આતંકી હુમલાનો વિરોધ

  • હાંસોટમાં યોજાયો કાર્યક્રમ

  • મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

  • વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા

Advertisment
જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના હાસોટ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજવલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં હતા.તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચાર કરાયા હતા.આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જે. ડી.પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જીગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment