અંકલેશ્વર: હાંસોટમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, કડક કાર્યવાહીની માંગ

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • આતંકી હુમલાનો વિરોધ

  • હાંસોટમાં યોજાયો કાર્યક્રમ

  • મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ

  • વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના હાસોટ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.તાલુકા મથક હાંસોટ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્ડલ પ્રજવલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં હતા.તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચાર કરાયા હતા.આ વિરોધ પ્રદર્શનમાં હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જે. ડી.પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જીગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.