અંકલેશ્વર: હોળી-ધુળેટી પર કામદારોએ પકડી વતનની વાટ, ઉદ્યોગોમાં ઉત્પાદનમાં ઘટાડો !

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં  અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન પર પણ અસર પડશે.

New Update
  • હોળી ધુળેટીના પર્વને ઉજવવા થનગનાટ

  • કામદારો વતન જવા માટે રવાના

  • પરિવાર સાથે મનાવશે પર્વ

  • ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર

  • 10 થી 20 ટકા ઉત્પાદન ઘટશે !

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન પર પણ અસર પડશે.
રંગોના પર્વ હોળી-ધૂળેટી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઇ રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં  અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે. આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતાં હોય છે. 
શ્રમિકોએ વતનની વાટ પકડી લીધી હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે. હોળી-ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતાં હોય છે અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાડુ ગબડાવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો સહીત હેલ્પરો વતનની વાટ પકડતા મંદી વચ્ચે ૫૦ ટકા જ ધંઘો રહ્યો છે તેવામાં કામદારોની અછતના પગલે ૧૦થી ૧૫ ટકા ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.