New Update
અંકલેશ્વરના ભરુચી નાકાથી જૂના દીવા માર્ગ નવી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ બેસી જતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
તાજેતરમાં અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે નવી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થતાં માર્ગ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે દાંડી માર્ગ ઉપર અંકલેશ્વરના ભરુચી નાકાથી જૂના દીવા જવાના રોડ પર યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતા માર્ગ બેસી જતાં ભુવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.રોડનું ડામર કાર્પેટિંગ બાદ રોડ બેસી જતાં કામગીરીમાં ગોબચારી થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
Latest Stories