ભરૂચ: ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સ્થાપનાને 144 વર્ષ પૂર્ણ, કેક કાપી કરાય ઉજવણી

ગોલ્ડન બ્રિજને બનાવવા માટે જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું

New Update
  • ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડનબ્રિજ

  • ગોલ્ડનબ્રિજની સ્થાપનાને 144 વર્ષ પૂર્ણ

  • યુવાનો દ્વારા કેક કાપી કરવામાં આવી ઉજવણી

  • બ્રિજને ઐતિહાસિક સ્મારક જાહેર કરવા માંગ

  • મ્યુઝિયમ બનાવવાની માંગ

ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 144 વર્ષનો થયો છે ત્યારે આજે ગોલ્ડનબ્રિજના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ.
ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ગોલ્ડન બ્રિજ ના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી  ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સાથે જ મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે. સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સ્મૃતિ સભાનું કરાયુ આયોજન

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભોલાવ વિસ્તારમાં આયોજન કરાયું

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાર્યક્રમ

  • સ્મૃતિસભાનું આયોજન કરાયુ

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે  સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના  યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમનો ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડૉ. મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો.