New Update
-
આજે તારીખ 23મી એપ્રિલ
-
વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી
-
ભરૂચમાં આવેલી છે 167 વર્ષ જૂની લાયબ્રેરી
-
માવજતના અભાવે લાયબ્રેરી ખંડેર બની
-
લાયબ્રેરીમાં ગણ્યાગાંઠ્યા વાંચકો આવે છે
ભરૂચ શહેરના હૃદયસ્થળે આવેલી 167વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઈબ્રેરી આજે પણ કાર્યરત છે પરંતુ સમયની ધૂંધળકીમાં તેની શાન ઠલવાઈ રહી છે. ઈ.સ. 1858માં સ્થાપિત થયેલ આ પુસ્તકાલય રાજ્યનું બીજા નંબરનું સૌથી જૂનું લાઈબ્રેરી ગણાય છે.આજે વિશ્વ પુસ્તક દિવસે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ.
પુસ્તકો અને વાંચનને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલ 1995ના રોજ ઉજવવામાં આવ્યો હતો ક્યારે રાજ્યની બીજા નંબરની સૌથી જૂની ગણાતી ભરૂચની રાયચંદ લાઇબ્રેરીની તમને મુલાકાત કરાવીએ. જુના ભરૂચમાં આવેલી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીની વર્ષ 1858માં સ્થાપના કરવામાં આવી હતી. લાઈબ્રેરીને તેની સ્થાપનાના બાદ વર્ષ 1864માં મુંબઈના ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદે તેમના પિતાની સ્મૃતિમાં રૂ. 4 હજારનું દાન આપ્યું હતું, જેના પ્રતિફળ સ્વરૂપે તેનું નામ 'રાયચંદ દીપચંદ લાઈબ્રેરી' રાખવામાં આવ્યું. વર્ષ 1976માં આ લાઈબ્રેરીને રાજ્ય સરકાર તરફથી રાજ્ય પારિતોષિક તેમજ મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડથી નવાજવામાં આવી હતી.એક સમયે અહીં દિવસ દરમિયાન હજારો વાચકો અભ્યાસ માટે આવતા તે લાઈબ્રેરી આજે દિવસભરમાં બે થી ચાર વાચકોની રાહ જોતી જોવા મળે છે.મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં વાંચન સંસ્કૃતિ ધીમે ધીમે ઓગળી રહી છે. વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા રાજ્યની આ ઐતિહાસિક ધરોહર ભૂલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.
2 લાખ કરાતા વધુ પુસ્તકો ધરાવતી હેરિટેજ લાઈબ્રેરીને યોગ્ય પ્રોત્સાહન, સરસ માહિતીપ્રદ કાર્યક્રમો અને નૂતન ટેકનોલોજીથી જોડીને ફરી એકવાર જીવંત બનાવી શકાય છે. ભરૂચની આ શાન પાછી લાવવા માટે લોકોની સહભાગિતા અને સંસ્થાઓના સહયોગની તાતી જરૂરિયાત છે.વિશેષ અહેવાલ રાકેશ ચૌમાલ ભરૂચ.
Latest Stories