-
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
-
ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર
-
ભરૂચ જિલ્લાનું 83.58% પરિણામ
-
પરિણામમાં 2.46 %નો વધારો
-
A-1 ગ્રેડમાં 493 વિદ્યાર્થીઓ
કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કહી ગામનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે.જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું સો ટકા પરિણામ જાહેર થયું છે.
ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45 ટકા પરિણામ તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું ૫૫.૬૮ ટકા પરિણામ જાહેર થયું છે.આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55 ટકા,અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું 92.74%,અંકલેશ્વર-2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનો આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે વર્ષ 2024 માં ભરૂચ જિલ્લાનું 81.12 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે 2023 માં 61.7 ટકા પરિણામ જાહેર થયું હતું.