ભરૂચ: જંબુસર નજીક ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં, મોટી હોનારાતની દહેશત !

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે

New Update
  • ભરૂચના જંબુસર નજીકથી પસાર થાય છે ઢાઢર નદી

  • ઢાઢર નદી પર આવેલો છે 40 વર્ષ જૂનો બ્રિજ

  • બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં 

  • વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર

  • બ્રિજમાં તાત્કાલિક સમારકામની કરાય માંગ

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે
ભરૂચ જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતાં હજારો વાહનચાલકોના માથે ખતરો ઉભો થયો છે. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહયો છે. બ્રિજ જર્જરીત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહયો છે.જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્ર થી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે.
આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ ઉપર તિરાડો પડી ગઈ છે અને સળિયા પણ દેખાય છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યાં છે.જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ બ્રિજની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલાં બ્રિજનું રીપેરિંગ કરવામાં આવે તેવી માગણી આગેવાનોએ કરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.