ભરૂચ: સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ 691 કામો હાથ ધરાશે, તળાવો ઊંડા કરવા સહિતની કરાશે કામગીરી

"સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૫ કેચ ધ રેન  ૨.૦"  અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ડીપાર્ટમેન્ટલ કામો તથા લોકભાગીદારીથી કરવાના થતા અંદાજિત રૂા. ૧૯૯૧.૯૬  લાખના ખર્ચે ૬૯૧ જળસંચયના કામો હાથ ધરાશે.

New Update
a

"સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૫ કેચ ધ રેન  ૨.૦"  અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ડીપાર્ટમેન્ટલ કામો તથા લોકભાગીદારીથી કરવાના થતા અંદાજિત રૂા. ૧૯૯૧.૯૬  લાખના ખર્ચે ૬૯૧ જળસંચયના કામો હાથ ધરાશે.

Advertisment
ચોમાસા પહેલા જળ સંચયનો વ્યાપ વધે તે મુજબના લોકભાગીદારીથી કામો હાથ ધરવા માટે સરદાર સરોવર નિગમ, સિંચાઇ વિભાગ,  પાણી પુરવઠા વિભાગ,  વોટરશેડ વિભાગ, નગર પાલીકા, વન વિભાગ, તાલુકા પંચાયત, વાસ્મો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વેગેરે વિભાગો/ નિગમો દ્વારા કુલ ૬૯૧  જળસંચય તથા જળ બચાવના કામો હાથ ધરવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ડીપાર્ટમેન્ટલ કામો તથા લોકભાગીદારીથી કામો થનાર છે. જેમા  ભરૂચ જિલ્લાની મુખ્ય કાંસોની સફાઈ, ચેક્ડેમ ડીસીલ્ટીંગ, ચેક્ડેમ રીપેરીંગ, જળાશય ડીપનીંગ, નદીના પ્રવાહને અવરોધ રૂપ ઝાડી ઝાખરા દુર કરવા,  તળાવ ઉંડા ઉતારવા, વગેરે જેવી કામગીરીનો સમાવેશ કરવામા આવેલ છે. ભરૂચ જિલ્લામાં  અંદાજે ૨૫ લાખ ઘ.મી. જેટલુ ડીસીલ્ટીંગ કરવાનો અંદાજ લગાવાયો છે.
Advertisment
Latest Stories