ભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ગુજરાત | સમાચાર , ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબલિક સ્કૂલમાં 78માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update
MixCollage

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબલિક સ્કૂલમાં 78માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિટના જોઈન પ્રેસિડેન્ટ અને સાઈડ હેડ આર. રામકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ અને હ્યુમન રિસર્ચના હેડ જીતેન્દ્ર પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ અને કોમર્શિયલ હેડ મહાવીર જૈન ઉપસ્થિત રહ્યા હતા.શાળાના 300 જેટલા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો સહિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યુનિટના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને સાઈડ હેડ આર. રામકુમારે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યને ઉજાગર કરવા માટે પ્રેરિત કર્યા હતા.તેઓએ પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રીની આવનારી વિવિધ યોજનાઓની વાતો કરી તેમના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના આચાર્ય સુબ્રતા કુંડુંએ પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોના સહયોગ થકી શાળાનો વિકાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી વિદ્યાલયને પોતાનું ઘર સમજવા અનુરોધ કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.
Latest Stories