ભરૂચ : AMA અને BDMAના સંયુક્ત ઉપક્રમે આયાત-નિકાસ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો...

નિકાસના નિયમો, રૂપિયા આધારિત ઇન્વોઇસિંગ, વિદેશી ચલણ ખાતા, SEZ સુવિધાઓ અને નિકાસ બિલની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બીડીએમએ ખાતે આયોજન કરવામાં આવ્યું

  • આત્મનિર્ભર ભારતને આગળ વધારવા પ્રયાસ

  • આયાત/નિકાસ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • વિવિધ કંપનીના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ દ્રારા ટ્રેડ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આત્મનિર્ભર ભારત માટે 
આયાત-નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું 
આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પહેલના ભાગ રૂપે, એએમએ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઈન્સ ફોર એક્સપોર્ટર્સ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ, એન્ડ અધર આસ્પેક્ટ્સ" વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું નેતૃત્વ  ગૌરાંગ વસાવડા દ્રારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, એમએસએમઈ કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગસાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ , ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર , ચીફ એક્સીક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.