ભરૂચ : AMA અને BDMAના સંયુક્ત ઉપક્રમે આયાત-નિકાસ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો...

નિકાસના નિયમો, રૂપિયા આધારિત ઇન્વોઇસિંગ, વિદેશી ચલણ ખાતા, SEZ સુવિધાઓ અને નિકાસ બિલની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બીડીએમએ ખાતે આયોજન કરવામાં આવ્યું

  • આત્મનિર્ભર ભારતને આગળ વધારવા પ્રયાસ

  • આયાત/નિકાસ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • વિવિધ કંપનીના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ દ્રારા ટ્રેડ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આત્મનિર્ભર ભારત માટે 
આયાત-નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું 
આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ પહેલના ભાગ રૂપે, એએમએ દ્રારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઈન્સ ફોર એક્સપોર્ટર્સ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ, એન્ડ અધર આસ્પેક્ટ્સ" વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું નેતૃત્વ  ગૌરાંગ વસાવડા દ્રારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો અને સ્ટાફ, સલાહકારો, એમએસએમઈ કંપની માલિકો અને સ્ટાફ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગસાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ , ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દેવાંગ ઠાકોર , ચીફ એક્સીક્યુટિવ ઓફિસર જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: આગામી તા. ૧૫ મી જુલાઈ સુધી ધરતી આબા અભિયાન-જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ યોજાશે

ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના આદિમજુથ સહિત તમામ આદિજાતિ લોકોને સરકારશ્રીની વિવિધ માળખાગત તથા વ્યક્તિગત યોજનાઓથી લાભાન્વીત કરવાનો લક્ષ્યાંક છે.

New Update
Dharti Aaba Campaign Bharuch
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીની બેઠક યોજાઈ હતી.આ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના આદિમજુથ સહિત તમામ આદિજાતિ લોકોને સરકારશ્રીની વિવિધ માળખાગત તથા વ્યક્તિગત યોજનાઓથી લાભાન્વીત કરવાનો લક્ષ્યાંક છે. 
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ અમલીકરણ અધિકારીશઓને માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા. આગામી ૧૫મી જુલાઈ-૨૦૨૫ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં ઝૂંબેશના ભાગરૂપે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.  જિલ્લાના તમામ તાલુકાઓમાં "ધરતી આબા અભિયાન – જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories